તા.30.03.2025 નેરલ ખાતે શ્રી નેરલ લોહાણા મહાજન દ્વારા આયોજિત ભૂમિ પૂજન કાર્યક્રમ તથા શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગની સભાનો અહેવાલ

નૂતન વર્ષના પ્રારંભ સમાન પવિત્ર ગુડી પાડવાના મંગલ અવસરે, રવિવાર તા. ૩૦/૦૩/૨૦૨૫ના શુભ દિને, શ્રી નેરલ લોહાણા મહાજન દ્વારા આયોજિત ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમ તથા શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગની સભા ઉત્સાહ અને ભવ્ય આયોજન સાથે સંપન્ન થઈ.

સવારે ૯:૩૦ વાગ્યાથી, કોંકણ વિભાગના ઉત્સાહી પદાધિકારીઓ, વિવિધ ઘટક મહાજનોના તેજસ્વી પ્રમુખશ્રીઓ તથા સમર્પિત પ્રતિનિધિઓનું આગમન ભૂમિ પૂજન સ્થળે થવા લાગ્યું. સૌએ આ દિવ્ય અવસરે શુભ મુહૂર્તમાં પવિત્ર ભૂમિ પૂજનના આશીર્વાદમય લાભ લીધા, યજમાન મહાજન દ્વારા આયોજિત ચા/નાસ્તા નો સ્વાદ માણ્યો અને ત્યારબાદ ૧૧:૪૫ સામાન્ય સભા માટે નિર્ધારિત સ્થળે જવા નીકળ્યા.

12.00 વાગ્યે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગની સામાન્ય સભાનો શુભારંભ થયો.જેમાં…. કોંકણ વિભાગના દશ ઘટક મહાજનોના કુલ્લે 90 થી વધુ પ્રતિનિધિઓ ની હાજરી રહી.

શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ ના સહ મંત્રી શ્રી કેયૂરભાઈ પોપટે હૃદયસ્પર્શી સ્વાગત સંબોધન કરી, પવિત્ર રઘુવંશી પ્રાર્થના સાથે સભાની મંગલમય શરૂઆત કરાવી. ત્યારબાદ તેમણે નિમ્નલિખિત આદરણીય મહાનુભાવોને મંચસ્થ થવા સાદર આમંત્રિત કર્યા:

દૂરદર્શી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા • કર્મયોગી પ્રમુખ શ્રી અભયભાઈ તન્ના • અનુભવી ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ સોમૈયા • સમર્પિત ટ્રસ્ટી શ્રી જયેશભાઈ કારીયા • પ્રતિષ્ઠિત ટ્રસ્ટી શ્રી કેતનભાઈ ઠક્કર • પ્રેરણાદાયી ટ્રસ્ટી શ્રી બીરેનભાઈ ઠક્કર • સેવાભાવી ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ મણિધર • યજમાન શ્રી નેરલ લોહાણા મહાજન ઉદાર પ્રમુખ શ્રી સંજયભાઈ માધવાણી • ગતિશીલ ઉપ પ્રમુખ શ્રી કેતનભાઈ કોઠારી. સમગ્ર સભાએ તાળીઓના ગડગડાટથી સૌ મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું.
ત્યારબાદ સહ મંત્રી શ્રી કેયૂરભાઈએ ગત સભાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરી સર્વસંમતિથી સભાની બહાલી મેળવી. સભાને આગળ વધારતાં, તેમણે યજમાન મહાજન પ્રમુખ શ્રી સંજયભાઈને સ્વાગત સંબોધન માટે આમંત્રણ આપ્યું.
આનંદિત વાતાવરણમાં, અતિથિપરાયણ યજમાન મહાજન પ્રમુખ શ્રી સંજયભાઈ માધવાણી એ પધારેલા તમામ ઘટક મહાજન પ્રમુખો તથા પ્રતિનિધિઓનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો. તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો કે ગુડી પાડવાના અત્યંત શુભ અવસરે વ્યસ્ત સમયપત્રક હોવા છતાં સૌ મહાનુભાવો દૂરદૂરથી પધાર્યા, જે સંઘટન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ત્યારબાદ શ્રી નેરલ લોહાણા મહાજનના સક્રિય માનદ મંત્રી શ્રી કમલેશભાઈ ઠક્કરે સભાને સંબોધિત કરી વ્યાસપીઠ પર બિરાજમાન સર્વે મહાનુભાવોનું યજમાન મહાજનના સર્વે પદાધિકારીઑ દ્વારા શાલ અને પુષ્પગુચ્છથી સન્માનપૂર્વક સ્વાગત કર્યું.

સભાને આગળ વધારતાં, સહમંત્રી શ્રી કેયૂરભાઈએ ગત માસ દરમિયાન કોંકણ વિભાગના પ્રતિનિધિઓ દ્વારા શ્રી લોહાણા મહા પરિષદ, LMP મહારાષ્ટ્ર ઝોન, કોંકણ ઘટક મહાજનો, ઝોનના અન્ય રિજનો તથા અન્ય સંસ્થાઓના આયોજિત કાર્યક્રમો અને સભાઓમાં આપેલી મુલાકાતોની વિસ્તૃત જાણકારી સભા સમક્ષ રજૂ કરી.
ત્યારબાદ, શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગના નવયુવાન પ્રમુખ શ્રી અભયભાઈ તન્નાને સભા સંબોધન માટે આમંત્રિત કરવામાં આવ્યા. શ્રી અભયભાઈએ તેમના પ્રમુખપદના એક વર્ષના કાર્યકાળના અનુભવો સહર્ષ સભા સમક્ષ રજુ કર્યા અને કોંકણ વિભાગના આગામી કાર્યક્રમોની માહિતી આપી. તેમણે શ્રી ડોમ્બીવલી લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ શ્રી પ્રમોદભાઈ પૂંજાણીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી અભિનંદન આપ્યા.

શ્રી અભયભાઈના સંબોધન બાદ, LMP મહારાષ્ટ્ર ઝોન પ્રમુખ તથા કોંકણ વિભાગના પ્રતિભાશાળી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયાએ સભાને સંબોધિત કરી અને આજના નેરલ મહાજન ના આ પ્લોટના વિકાસ બાબતે ચર્ચા માં જણાવ્યું કે આ પ્લોટ ઉપર ના બાંધકામ નું કોકડું ઘણા વર્ષો થી ચાલે છે અને કોઈ અસામાજિક તત્વો એનક્રોચમેન્ટ કરી જાય એ પહેલા જે પ્લાન નેરલ મહાજન થી બનાવવા માં આવેલ છે તેમાં નીચે દુકાનો ઉપર હોલ, મંદિર નો પ્લાન છે જો થઈ શકે તો તળ મજલે એકાદ દુકાન ને ઓછી કરી મંદિર માટે જગા રાખી અને સૂચન આપવામાં આવ્યું કે ટોટલ અંદાજિત ખર્ચ – બજેટ નો વર્કિંગ કરવું અને કમસેકમ ખર્ચ પર ધ્યાન આપવું અને એ મુજબ ના પ્લાન તૈયાર કરવા અને બીજું કે મંદિર બાબતે સૂચિત કરાયું કે મંદિર ને બીજા પ્લોટ પર બનાવી શકાય તે બાબતે વિચારવું અને એ રીતે આપણા સમાજલક્ષી ઉદ્દેશો જેવાકે મંદિર, દુકાનો, સમાજલક્ષી કાર્ય માટે હોલ વગેરેના બાંધકામ- જે પણ આપણા જ્ઞાતિજનો અને આવતા જનરેશન ને ઉપયોગી કાર્ય હોય તે જ્ઞાતિજનો ની બહુમતી અને સરકારી ઓથોરિટી ના નકશાઓ પાસ કરાવીને કરવા અને દુકાનોની મંજૂરી મળે તો પહેલા એ દુકાનો આપણા ઈન્ટરેસ્ટેડ જ્ઞાતિજનો-બંધુઓ ને પ્રથમ પ્રાધાન્ય મળે અને જે પણ બીડ – ઓફર આવે તે ટ્રાનઝેક્સન- ટ્રાન્સફરન્ટ- સર્વે ને સમજણ પડે તે રીતે રહેવા જરૂરી રહેશે- અને એ પણ ખ્યાલ રાખવો કે આપણોઆ ટ્રસ્ટ ચેરિટી કમિશનર ની ઓફિસે રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે માટે એ કાયદાકીય અભ્યાસ પણ પૂર્ણપણે કરવો અને આગળ વધવા ની જાણ કરી હતી અને જરૂરી લાગે તો કોંકણ વિભાગ નો સહયોગ લેતા રહેવા જણાવ્યું – અને ત્યારે ઉપસ્થિત શ્રી નીખિલભાઈ ચોથાણી તથા તેમના પત્ની દ્વારા પણ પશ્ર્નો આવ્યા જેનો પ્રત્યુત્તર નેરલ લોહાણા મહાજન પ્રમુખશ્રી સંજય ભાઈ માધવાની દ્વારા આપવા આવ્યો અને આ મહાજન નો પ્લોટ નો વિકાસ ખાસ કરી આપણી જમીન પર unauthorised એનક્રોચમેન્ટ કરી કોઈ અન્ય ખોટો લાભાર્થી થાય તેને અટકાવવાનો પણ છે અને આપણા જ્ઞાતિજનો ના ઉત્થાન માટેની આ પ્રક્રિયા રહેશે એવુ શ્રી સંજયભાઈ માધવાણી સાહેબે ફરીથી ભાર પૂર્વક જણાવ્યું હતું.

ત્યારબાદ શ્રી ધર્મેન્દ્રભાઈએ સમાજલક્ષી દ્રષ્ટિકોણ અને જ્ઞાતિજનો ને સાથે રાખી આગળ વધવા જણાવ્યું અને Lmp મહારાષ્ટ્ર ઝોનની નાંદેડ(મરાઠવાડા) ખાતે તા. 23.02.2025 ના રોજે યોજાયેલ ભવ્ય સભામાં કોંકણ વિભાગની ઉત્કૃષ્ટ ભાગીદારી બદલ વિશેષ ગૌરવ વ્યક્ત કર્યું અને હર્ષપૂર્વક જણાવ્યું કે સૌથી વધુ પ્રતિનિધિઓ આપણા કોંકણ વિભાગના હતા. આ ઐતિહાસિક સિદ્ધિની જાહેરાત સાથે સંપૂર્ણ સભાએ તાળીઓના ગડગડાટથી આખું સભાગૃહ ગજવી મૂક્યું.

અને સભા ને જણાવ્યું કે આપણી મેનેજીંગ કમિટી ની રચના માં ભાગ લઇ દરેક ઘટક મહાજનોએ બે પ્રતિનિધિઓ ના નામ આપી સહભાગી થવું. તેમણે માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આગામી એપ્રિલ, 2025 મહિનામાં દુબઈ ખાતે આયોજિત થનાર LIBF -GCC Calling કાર્યક્રમ વિશે પણ વિસ્તૃત માહિતી સભા સમક્ષ મૂકી.
ત્યારબાદ LMP મહારાષ્ટ્ર ઝોનલ સેક્રેટરી તથા કોંકણ વિભાગના ઉપ.પ્ર.શ્રી હર્ષદભાઈ મણિધરે સભાને જણાવ્યું કે આગામી નવેમ્બર- 2025 મહિનામાં LMP મહારાષ્ટ્ર ઝોન, LMP મુંબઈ ઝોન તથા વિદર્ભ સાથે મળીને પૂના મહાજનના સહયોગથી પૂના ખાતે ભવ્ય ક્રિકેટ લીગનું આયોજન કરી રહ્યું છે. તેમણે ટૂંક સમયમાં આ અંગે વધુ માહિતી પ્રદાન કરવાનું આશ્વાસન આપ્યું.

ત્યારબાદ વિભાગના અન્ય સન્માનનીય પદાધિકારીઓ – અનુભવ સંપન્ન ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ સોમૈયા, સમર્પિત ટ્રસ્ટીશ્રી જયેશભાઈ કારીયા, ઉત્કૃષ્ટ ટ્રસ્ટી શ્રી બીરેનભાઈ ઠક્કર અને સેવાભાવી ટ્રસ્ટી શ્રી કેતનભાઈ ઠક્કરે પણ પોતાના હૃદયસ્પર્શી મનોગત વ્યક્ત કર્યા.

સભામાં પધારેલા અન્ય ઘટક મહાજનોના પ્રતિષ્ઠિત પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિઓ, શ્રી ખોપોલી, પરલી, જાંબુલપાડા લોહાણા મહાજન પ્રમુખ શ્રી શૈલેષભાઈ વિઠલાણી, શ્રી પનવેલ લોહાણા મહાજન ઉપ પ્રમુખ શ્રી દીપકભાઈ ઉનડકટ, શ્રી શ્રીવર્ધન, મહસલા, બોરલી લોહાણા મહાજન પ્રમુખ શ્રી રમેશભાઈ તન્નાએ પણ પોતાના વિચારો સભા સમક્ષ રજૂ કર્યા.

સભાના અંતિમ ક્ષણો પહેલાજ શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ ના નવ નિર્વાચીત યુવાન પ્રમુખશ્રીએ આગામી કોંકણ વિભાગ ની બેઠક ડોમ્બિવલી ખાતે આયોજિત કરવા વિનંતી સહ નિવેદન કયુઁ જેને સભા એ તાળીઓ થી વધાવી લીધું અને શ્રીઅભયભાઈ એ જણાવ્યું કે આ આગામી ડોમ્બિવલી ખાતેની મિટિંગની તારીખ, વાર,સમય અને કાર્યસૂચિ ની જાણ સર્વે ને સમયાંતરે કરવામા આવશે.

અંતમાં, જન સંપર્ક અધિકારી શ્રી ભરતભાઈ ચંદને વોટ ઓફ થેંક્સ પ્રસ્તુત કરી સભાની પૂર્ણાહુતિ જાહેર કરી. ત્યારબાદ યજમાન મહાજન દ્વારા સૌ આમંત્રિત મહેમાનોને સ્વરુચિ ભોજન માટે આગ્રહભર્યું આમંત્રણ આપવામાં આવ્યું. સુસ્વાદુ ભોજનનો આનંદ માણી, સર્વે મહાનુભાવો આ સફળ કાર્યક્રમની મીઠી સ્મૃતિઓ સાથે પોતાના ગંતવ્ય તરફ પ્રયાણ કર્યા.
સમગ્ર કાર્યક્રમ સામાજિક એકતા, સમરસતા અને સૌહાર્દની આદર્શ ભાવના સાથે સંપન્ન થયો. આવનારા વર્ષોમાં પણ આવા સુંદર કાર્યક્રમો થતા રહે અને સંગઠનની એકતા અને પ્રગતિ વધુ મજબૂત બને તેવી આશા સહ

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *